ગુજરાતમાં શાળા એક્રેડિટેશન (G-SQAAF) માટે વેરીફાયર્સની નોંધણી કરાવવા માટેની પ્રક્રિયા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020
(NEP-2020) ની ભલામણો મુજબ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર
દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક,
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગુણવત્તા વિષયક મૂલ્યાંકન અને સુધારણા
માટે School Quality Assessment and
Assurance Framework (SQAAF)
તૈયાર કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ ફ્રેમવર્ક રાજ્યની તમામ સરકારી, અનુદાનિત
(ગ્રાન્ટેડ) અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
લાગુ કરવામાં આવ્યું છે.
શાળા એક્રેડિટેશન પ્રક્રિયાના મહત્વપૂર્ણ સોપાનો:
રાજ્યની
તમામ શાળાઓ દ્વારા
૧૭ ઓગસ્ટ ૨૦૨૬ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન School Quality Assessment and
Assurance Framework (SQAAF) ને લઇને ઓનલાઈન સ્વ-મૂલ્યાંકન
પૂર્ણ કરવામાં આવશે.
સ્વ-મૂલ્યાંકન
થયેલ શાળાઓ પૈકી મહત્તમ
૩૩% શાળાઓમાં પસંદગી પામેલ વેરીફાયર્સ દ્વારા બાહ્ય-મૂલ્યાંકન (Cross-verification) કરવામાં
આવશે.
વેરીફાયર્સ તરીકે ઉમેદવારી નોંધાવવા માટેની પાત્રતા: કોણ
અરજી કરી શકશે ?
બાહ્ય-મૂલ્યાંકનની કામગીરી માટે નીચે મુજબના અધિકારીઓ/કર્મચારીઓ અને નિષ્ણાતો
ઓનલાઈન અરજી કરી શકશે:
- પ્રાથમિક
વિભાગ માટે :
કેળવણી નિરીક્ષકો, બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ
(BRCC), સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ (CRCC),
મુખ્ય શિક્ષકો (HTAT),
શિક્ષકો,
નિવૃત્ત આચાર્ય/શિક્ષક, એવોર્ડ વિજેતા શિક્ષકો
અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત NGO
ના તજજ્ઞો.
- માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે : ઈ.આઈ. (EI), આચાર્ય
(શિક્ષણ સેવા વર્ગ-૨),
HMAT/AEI આચાર્યો,
શિક્ષકો,
નિવૃત્ત શિક્ષકો/આચાર્યો અને NGO ના
તજજ્ઞો.
- ઉચ્ચ
શિક્ષણ વિભાગ માટે :
વિવિધ શિક્ષણ-તાલીમી સંસ્થાઓ (DIET/B.Ed. કોલેજો) ના અધ્યાપકો અને વ્યાખ્યાતાશ્રીઓ.
અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો:
- ઓનલાઈન
અરજીની લિંક:
https://gsqac-frontend.gujaratvsk.org/verifier-registration
- અરજી
સ્વીકારવાની શરૂઆત:
૦૫ ઓગસ્ટ ૨૦૨૬ (બપોરે ૨:૦૦ કલાકથી)
- અરજી
કરવાની છેલ્લી તારીખ:
૧૫ ઓગસ્ટ ૨૦૨૬ (રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી)
રસ ધરાવતા ઉપરોક્ત દર્શાવેલ સક્ષમ કર્મચારીઓ નિયત સમયમર્યાદામાં આપેલ લિંકમાં સચોટ
વિગતો ભરીને G-SQAAF ના બાહ્ય મૂલ્યાંકનકાર/વેરીફાયર્સ
તરીકે અરજી કરી શકે છે.
No comments:
Post a Comment